તિલોત્તમા (અપ્સરા)
હિન્દુ દંતકથા મુજબ અએક અપ્સરા / From Wikipedia, the free encyclopedia
તિલોત્તમા (સંસ્કૃત: तिलोत्तमा) સ્વર્ગની એક અપ્સરા (અવકાશી પરી) છે, જેનું વર્ણન હિન્દુ પૌરાણિક કથાઓમાં કરવામાં આવ્યું છે.
Quick Facts તિલોત્તમા, જોડાણો ...
તિલોત્તમા | |
---|---|
તિલોત્તમાનું તૈલચિત્ર રાજા રવિ વર્મા દ્વારા નિર્મિત | |
જોડાણો | અપ્સરા |
રહેઠાણ | સ્વર્ગ |
બંધ કરો
"તિલ" એ નાના કણ માટે સંસ્કૃત શબ્દ છે અને "ઉત્તમ" નો અર્થ પરમ થાય છે. તેથી તિલોત્તમાનો અર્થ એ છે કે જેનો સૌથી નાનો કણ પણ શ્રેષ્ઠ છે અથવા જે શ્રેષ્ઠ અને ઉચ્ચતમ ગુણોથી બનેલું છે.[1]
તિલોત્તમા કશ્યપ અને અરિષ્ટાની કન્યા હતી, જે જન્મે બ્રાહમણી હતી, જેને અયોગ્ય સમયે સ્નાન કરવાના અપરાધમાં અપ્સરા થવાનો શાપ મળ્યો હતો. બીજી-દંતકથા અનુસાર કુબ્જા નામની મહિલાએ તપશ્ચર્યા દ્વારા વૈકુંઠ પદ પ્રાપ્ત કર્યું. એક દંતકથામાં કદરૂપી વિધવા તરીકે પૂર્વજન્મની વાત કરવામાં આવી છે, જ્યારે અન્ય એક કથા વર્ણવે છે કે કેવી રીતે તેને દુર્વાસા ઋષિ દ્વારા દૈત્ય રાજકુમારી ઉષા તરીકે જન્મ લેવાનો શ્રાપ આપવામાં આવ્યો હતો.