મનમોહન સિંહ
ભારતના ૧૩મા પ્રધાનમંત્રી / From Wikipedia, the free encyclopedia
ડૉ. મનમોહન સિંહ (પંજાબી: ਮਨਮੋਹਨ ਸਿੰਘ) ભારતના ૧૪મા વડાપ્રધાન હતા. તે એક કુશળ રાજનેતા હોવાની સાથે સાથે એક વિદ્વાન, અર્થશાસ્ત્રી અને વિચારક પણ છે. એક અનુભવી અર્થશાસ્ત્રીનાં રુપમાં તેમની ઓળખ વધુ છે. તેમની કુશળ અને ઈમાનદાર છબીને કારણેજ લગભગ દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી શાખ છે. ૨૦૦૯માં થયેલી લોકસભાની ચુંટણીમાં મળેલી જીત પછી, તેઓ જવાહરલાલ નેહરુ પછીનાં ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા પછી ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું હોય. તેમને જૂન ૨૧, ૧૯૯૧થી મે ૧૬, ૧૯૯૬ સુધી નરસિંહ રાવની સરકારમાં નાણા મંત્રીનો હોદ્દો પણ સંભાળ્યો હતો. નાણા મંત્રી તરિકે તેમણે ભારતમાં આર્થિક સુધારાઓની શરુઆત કરી. ૨૮ ફેબ્રુઆરીએ તેઓ સાઉદી અરેબિયાની યાત્રા પર ગયા હતા, આ સાથે જ ૧૯૮૨ બાદ સાઉદી અરબની યાત્રા કરનારા તેઓ પહેલા વડાપ્રધાન બન્યા છે.
ડૉ. મનમોહન સિંહ | |
---|---|
ડૉ. મનમોહન સિંહ, ૨૦૦૯ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ માં. | |
ભારતના ૧૩ મા વડાપ્રધાન | |
પદ પર ૨૨ મે ૨૦૦૪ – ૨૬ મે ૨૦૧૪ | |
રાષ્ટ્રપતિ | ડૉ. એ પી જે અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ પ્રણવ મુખર્જી |
પુરોગામી | અટલ બિહારી વાજપેયી |
અનુગામી | નરેન્દ્ર મોદી |
ભારતના ૧૬મા કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી | |
પદ પર ૨૨ મે ૨૦૦૪ – ૨૬ મે ૨૦૧૪ | |
પુરોગામી | લાલકૃષ્ણ અડવાણી |
અનુગામી | નરેન્દ્ર મોદી |
વિરોધ પક્ષ નેતા (રાજ્ય સભા) | |
પદ પર ૨૧ માર્ચ ૧૯૯૮ – ૨૧ મે ૨૦૦૪ | |
પુરોગામી | સિકંદર બખ્ટ |
અનુગામી | જસવંત સિંહ |
અંગત વિગતો | |
જન્મ | મનમોહન સિંહ (1932-09-26)26 September 1932 ગહ, પંજાબ, અંગ્રેજ ભારત (હાલમાં પંજાબ, પાકિસ્તાન) |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | ગુરુષ્ચરન કૌર |
નિવાસસ્થાન | ૩, મોતીલાલ નહેરૂ માર્ગ, નવી દિલ્હી |
માતૃ શિક્ષણસંસ્થા | પંજાબ યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટી ઓક્સફોર્ડ યુનિવર્સિટી |