વિન્સેન્ટ વેન ગો
From Wikipedia, the free encyclopedia
વિન્સેન્ટ વિલેમ વેન ગો [a 1] (30 માર્ચ 1853-29 જુલાઇ 1890) અત્યંત પ્રતિભાશાળી ડચ ચિત્રકાર હતા જેમના પર-પ્રભાવવાદી ચિત્રકામે 20મી સદીની કળા પર અમીટ છાપ છોડી છે. તેમના ચિત્ર વિશદ રંગો અને સંવેદનાઓથી ભરપૂર છે. તેઓ જીવનભર અસ્વસ્થતા અને માનસિક બીમારીનો ભોગ બની રહ્યાં, અંતે 37 વર્ષની વયે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
પોતાના જીવન કાળ દરમિયાન તેમને ઓછા બિરદાવવામાં આવ્યા હતા, પરંતુ મૃત્યુ પછી તેમની ખ્યાતિમાં વધારો થયો હતો. આજે તેમને ઇતિહાસના સૌથી મહાન ચિત્રકારો પૈકી એક અને આધુનિક કળાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિ ગણવામાં આવે છે. વેન ગોએ તેમની ઉમરના બીજા દાયકાના અંત સુધી ચિત્રકામની શરૂઆત કરી ન હતી અને તેમની સૌથી જાણતી કૃતિઓ પૈકી મોટા ભાગનાનું સર્જન તેમણે જીવનના છેલ્લા બે વર્ષમાં કર્યું હતું. તેમણે 2000થી વધુ કળાકૃતિઓનું સર્જન કર્યું હતું જેમાં આશરે 900 પેઇન્ટિંગ અને 1100 ડ્રોઇંગ અને સ્કેચ સામેલ હતા. પોતાના જીવનકાળ દરમિયાન તેઓ ઓછા જાણીતા હતા, છતાં ત્યાર પછીની મોડર્નિસ્ટ કળા પર તેનો ભારે પ્રભાવ છે. આજે તેમની ઘણી કૃતિઓ જેમાં તેમના અસંખ્ય સેલ્ફ પોટ્રેઇટ્સ, લેન્ડસ્કેપ્સ, પોટ્રેઇટ્સ અને સન ફ્લાવર્સની ગણના વિશ્વના સૌથી વધુ માન્યતાપ્રાપ્ત અને કિંમતી કળાકૃતિઓમાં થાય છે.
વેન ગોએ પોતાના વયસ્ક જીવનની શરૂઆત કળાકૃતિઓના વેપારીઓ સાથે કામ કરતા કરી અને ધ હેગ, લંડન અને પેરિસ વચ્ચે ઘણો પ્રવાસ કર્યો. ત્યાર બાદ ઇંગ્લેન્ડમાં થોડા સમય માટે શિક્ષણ પણ આપ્યું. તેઓ એક પાદરી બનવા માંગતા હતા અને આ હેતુથી તેમણે 1879માં બેલ્જિયમની એક ખાણમાં મિશનરીનું કામ શરૂ પણ કર્યું. આ દરમિયાન તેમણે આસપાસના લોકોના ચિત્રો બનાવવાનું શરૂ કર્યું અને 1885માં પોતાની પ્રથમ કૃતિ ધી પોટેટો ઇટર્સ (બટાટાહારી) બનાવી હતી. તે સમયે તેમના રંગની પાટીમાં ઝાંખા રંગોનો ઉપયોગ કરતા હતા અને ત્યાર પછીના તેમના કામમાં વિશિષ્ટતા મેળવનાર વિશદ રંગો જોવા મળતા ન હતા. માર્ચ 1886માં તેઓ પેરિસ ગયા જ્યાં તેમની મુલાકાત ફ્રેન્ચ પ્રભાવવાદી કલાકારો સાથે થઇ હતી. થોડા સમય પછી તેઓ દક્ષિણ ફ્રાન્સ પહોંચ્યા જ્યાં ચકાચોંધ કરતો તડકો તેમને પસંદ પડ્યો. ત્યાર પછી તેમના ચિત્રોમાં ચમકદાર રંગોનો ઉપયોગ વધવા લાગ્યો. આર્લ્સમાં રહેતી વખતે તેમણે પોતાની અલગ શૈલી વિકસાવી જેના કારણે આજે તેની ઓળખ થાય છે.
તેમના માનસિક રોગોના કારણે તેમની કળા પર કેટલો પ્રભાવ પડ્યો તેની ઘણી ચર્ચા થઇ છે. તેમના બીમાર આરોગ્યને પ્રેમપૂર્ણ રીતે જોવાનું વલણ વધ્યું છે છતાં આધુનિક વિવેચકો માને છે કે તેઓ પોતાની નિષ્ક્રિયતા અને અસંબદ્ધતાના કારણે અત્યંત હતાશ હતા. કળા વિવેચક રોબર્ટ હ્યુજિસના માનવા પ્રમાણે વેન ગોના પાછળના ચિત્રોમાં તેની સક્ષમતાની ટોચ જોવા મળે છે જે સંપૂર્ણ નિયંત્રણ અને “સંક્ષિપ્તતા તથા છટાની મનોકામના જોવા મળે છે.”[1]