શ્રીલંકાનો આંતરવિગ્રહ
From Wikipedia, the free encyclopedia
શ્રીલંકાનો આંતરવિગ્રહએ શ્રીલંકાના ટાપુ પર લડાયેલો વિગ્રહ હતો. આ લડાઈનો પ્રારંભ જુલાઈ 23, 1983નાં રોજ થયો હતો અને તે સમયે લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ (એલટીટીઈ (LTTE), કે જે તમિલ ટાઈગર્સ તરીકે પણ ઓળખાય છે.) દ્વારા સરકારની વિરુદ્ધમાં સમયાંતરે વિદ્રોહ કરવામાં આવતો હતો. આ જૂથ એક અલગાવવાદી આક્રમણખોર સંગઠન હતું જે આ ટાપુની ઉત્તર-પૂર્વ દિશામાં તમિલ ઇલમ નામનું એક સ્વતંત્ર તમિલ રાજ્ય રચવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. 30 વર્ષ ચાલેલા સૈન્ય અભિયાન બાદ, મે 2009માં શ્રીલંકાની સેનાએ તમિલ ટાઈગર્સને હાર આપી હતી.[1] 25 વર્ષ સુધી વિદ્રોહ્રની પરિસ્થિતિને કારણે દેશના લોકો, પર્યાવરણ અને અર્થતંત્રને ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો, એક અંદાજ પ્રમાણે આ સમયગાળા દરમ્યાન આશરે 80,000-1,00,000 લોકો માર્યા ગયા હતા.[15] લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમએ જે રીત રસમો અપનાવી તેને કારણે યુનાઈટેડ સ્ટેટસ, ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપીય સંઘના સંખ્યાબંધ સભ્ય રાષ્ટ્રો સહિતના 32 દેશોમાં તે ત્રાસવાદી સંગઠન તરીકે કુખ્યાત થઇ ગયું.
Sri Lankan Civil War | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
Sri Lanka is on an island off the coast of India | |||||||||
| |||||||||
યોદ્ધા | |||||||||
Sri Lanka Indian Peace Keeping Force (1987–90) |
ચિત્ર:Tamil-tigers-flag.svg Liberation Tigers of Tamil Eelam | ||||||||
સેનાનાયક | |||||||||
Junius Richard Jayawardene (1983–89) Rajiv Gandhi (1987–89) † |
ચિત્ર:Tamil-tigers-flag.svg Velupillai Prabhakaran (1983-2009) † | ||||||||
શક્તિ/ક્ષમતા | |||||||||
Sri Lanka Armed Forces: 95,000 (2001) 118,000 (2002) 158,000 (2003) 151,000 (2004) 111,000 (2005) 150,900 (2006)[2] Indian Peace Keeping Force: 100,000 (peak) |
LTTE: 6,000 (2001) 6,000 (2002) 7,000 (2003) 7,000 (2004) 11,000 (2005) 8,000 (2006) 7,000 (2007)[2][3] | ||||||||
મૃત્યુ અને હાની | |||||||||
23,327+ killed 59,037+ wounded (Sri Lankan military and police)[4][5][6][7] 1,155 killed (Indian Peace-Keeping Force)[8] |
27,639 Tigers killed[9][10][11][12][13] 1,800 Tigers captured[14] | ||||||||
80,000-100,000 killed overall (estimate)[15] | |||||||||
May 16, 2009: Sri Lankan Government declared a military defeat of LTTE.[16] May 17, 2009: LTTE admit defeat by Sri Lankan Government.[17] May 19, 2009: Mahinda Rajapaksa officially declares civil war over in parliament. |
બે દશક સુધી ચાલેલા યુદ્ધ અને શાંતિ મંત્રણાનાં ત્રણ નિષ્ફળ પ્રયત્નો તેમજ 1987થી 1990 દરમિયાન ભારતીય શાંતિરક્ષક દળના રૂપમાં ભારતીય સૈન્યનાં ઉપયોગ બાદ, 2001માં જ્યારે વાટાઘાટો કર્યા બાદ યુદ્ધ-વિરામની ઘોષણા કરવામાં આવી ત્યારે જ આ સંઘર્ષમાં કોઈ ટકાઉ સમજૂતી સંભવ બની હતી, 2002માં આંતરરાષ્ટ્રીય દરમિયાનગીરીથી યુદ્ધવિરામનાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.[18] જો કે, 2005ના આખરી ગાળામાં મર્યાદિત પ્રમાણમાં વિગ્રહ પુનઃ શરૂ થયો અને જ્યાં સુધી સરકારે જુલાઈ 2006માં એલટીટીઈની વિરુદ્ધમાં સંખ્યાબંધ મોટાં લશ્કરી હુમલાઓ કરવા શરૂ કર્યાં ત્યા સુધી વિગ્રહ વકરતો ગયો, સરકારનાં આ સૈન્ય અભિયાનને લીધે ટાપુનાં સમગ્ર પૂર્વીય પ્રદેશમાંથી એલટીટીઈનો સફાયો થઈ ગયો. ત્યારબાદ એલટીટીઈએ જાહેરાત કરી કે તેઓ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે પોતાની સ્વાતંત્ર્ય ચળવળ પુનઃ શરૂ કરશે.[19][20][21]
2007માં, સરકાર દેશના ઉત્તર ભાગમાં આક્રમણ કર્યું, અને એલટીટીઈએ આશરે 10,000 વખત યુદ્ધવિરામના કરારનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે 2 જુલાઈ, 2008ના રોજ યુદ્ધવિરામમાંથી પોતે ખસી ગયા હોવાની ઔપચારિક જાહેરાત કરી.[22] ત્યારપછી, હથિયારોની દાણચોરી માટે વપરાતાં એલટીટીઈના સંખ્યાબંધ વિશાળ જહાજોના વિધ્વંસ,[23] અને તમિલ ટાઈગર્સના નાણાકીય સ્રોતો ઉપર આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલી તવાઈ તેવા સકારાત્મક પરિબળોને કારણે, અગાઉ તમિલ ટાઈગર્સના કબ્જામાં રહેલા સમગ્ર વિસ્તાર ઉપર સરકારે નિયંત્રણ મેળવ્યું, આ વિસ્તારોમાં ટાઈગર્સની વાસ્તવિક રાજધાની કિલિનોચ્ચી, મુખ્ય લશ્કરી થાણું મલાઈતિવુ અને સમગ્ર એ9 હાઈ-વે[24]નો સમાવેશ થાય છે, આ કારણોસર એલટીટીઈએ આખરે 17 મે, 2009ના રોજ પરાજયનો સ્વીકાર કરવો પડ્યો.[25] આ યુદ્ધના અંતને પગલે, શ્રીલંકાની સરકારે શ્રીલંકાને પોતાની ધરતી પરથી આતંકવાદને નેસ્તનાબુદ કરનાર આધુનિક વિશ્વના સૌપ્રથમ દેશ તરીકે વર્ણવ્યો.[26][27]