અણુ અપ્રસાર સંધિ
From Wikipedia, the free encyclopedia
અણુશસ્રોના અપ્રસાર પરની સંધિ અણુ અપ્રસાર સંધિ કે (એનપીટી કે એનએનપીટી ) તરીકે પણ ઓળખાય છે. આ સંધિનો હેતુ વિશ્વમાં વિનાશક અણુશસ્રનો પ્રસારને મર્યાદિત કરવાનો છે. આ સંધિ પાંચ માર્ચ, 1970ના રોજ અમલમાં આવી હતી અને અત્યારે જગતના 189 રાષ્ટ્ર તેના સભ્યો છે. તેમાંથી પાંચ રાષ્ટ્રને અણુશસ્ત્ર રાષ્ટ્રની માન્યતા આપવામાં આવી છેઃ યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને ચીન, જેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યો પણ છે.
This લેખ અનાથ છે, એટલે કે વિકિપીડિયા પરના અન્ય કોઈ પણ લેખ પર આ લેખની આંતરવિકી કડી નથી. આપ આ લેખ જોડે સંબંધિત અન્ય લેખો પર ઉચિત જગ્યા એ આ લેખની કડી મૂકી શકો છો. (ડિસેમ્બર ૨૦૧૨) |
આ સંધિ ન ધરાવતા ચાર રાષ્ટ્ર અણુશસ્રો ધરાવે છે અથવા તેઓ આ પ્રકારનો શસ્રસરંજામ ધરાવતા હોવાનું મનાય છેઃ ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયાએ જાહેરમાં અણુશસ્રોનું પરિક્ષણ કર્યું છે અને તેમની પાસે આ પ્રકારના શસ્ત્રો હોવાની જાહેરાત પણ કરી છે જ્યારે ઇઝરાયેલની તેની પોતાની અણુશસ્ર કાર્યક્રમ સંબંધિત નીતિ અસ્પષ્ટ છે. ઉત્તર કોરિયાએ સંધિની સંમતિ આપી હતી, પછી તેનું ઉલ્લંઘન કર્યું હતું અને છેવટે વર્ષ 2003માં તેમાંથી પીછેહટ કરી હતી.
આ સંધિની દરખાસ્ત આયર્લેન્ડ અને ફિનલેન્ડએ મૂકી હતી અને તેમણે જ તેના પર સૌપ્રથમ હસ્તાક્ષર કર્યા હતા.
એનપીટી પ્રસ્તાવના અને 11 ધારા ધરાવે છે. એનપીટીમાં કોઈ પણ જગ્યાએ તેના "આધારસ્તંભ"ની વિભાવના વ્યક્ત કરવામાં નથી તેમ છતાં કેટલીક વખત આ સંધિનું અર્થઘટન ત્રણ આધારસ્તંભ ધરાવતી વ્યવસ્થા તરીકે કરવામાં આવે છે, જેમની વચ્ચે સંતુલન છેઃ
- અપ્રસાર ,
- નિઃશસ્રીકરણ , અને
- અણુ ટેકનોલોજીના શાંતિપૂર્ણ ઉપયોગનો અધિકાર .[1]
અણુશસ્રોના અપ્રસારની સંધિના સભ્યો રાષ્ટ્રોની સમીક્ષા પરિષદની બેઠકોમાં દર પાંચ વર્ષે આ સંધિની સમીક્ષા હાથ ધરવામાં આવે છે. ઉપરાંત વચગાળના વર્ષોમાં સમીક્ષા પરિષદ માટેની પ્રાથમિક તૈયારી કરનાર સમિતિના સત્રો યોજાય છે. તેની સાથેસાથે દુનિયામાં અનેક જગ્યાએ સ્વતંત્ર સંસ્થાઓ, નિષ્ણાતોના જૂથો, માર્ગદર્શકો અને બિનસરકારી સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે, જે પ્રાથમિક તૈયારી કરનાર સમિતિને અહેવાલો સુપ્રત કરે છે અને ભલામણ કરે છે.[2]
શરૂઆતમાં આ સંધિનો સમયગાળો 25 વર્ષ મર્યાદિત રાખવામાં આવ્યો હોવા છતાં સભ્ય રાષ્ટ્રોએ કોઈ પણ પ્રકારની શરતો વિના 11 મે, 1995ના રોજ ન્યુયોર્ક સિટીમાં યોજાયેલી સમીક્ષા પરિષદ દરમિયાન તેને સર્વનામુતે અનિશ્ચિત સમયગાળા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો.
તાજેતરમાં મે, 2010માં સમીક્ષા પરિષદ યોજાઈ હતી.[3]