ઓપરેશન રાહત
From Wikipedia, the free encyclopedia
ઓપરેશન રાહત એ યમનની કટોકટી વખતે સાઉદી અરેબિયા અને તેના સાથી દેશો દ્વારા ૨૦૧૫માં કરવામાં આવેલ સૈન્ય કાર્યવાહી દરમિયાન ભારતીય નાગરિકોને સલામત સ્થળે ખસેડવા ભારતીય સશસ્ત્ર સેનાઓ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી હતી.[3] એડન બંદર ખાતેથી સ્થળાંતર ૧ એપ્રિલ ૨૦૧૫ના રોજ શરુ કરવામાં આવ્યું. સા'ના ખાતેથી હવાઇ માર્ગે ભારતીય વાયુસેના અને એર ઇન્ડિયા દ્વારા સ્થળાંતર ૩ એપ્રિલ ૨૦૧૫ના રોજ શરુ કરાયું. સમગ્ર કાર્યવાહી દરમિયાન ૪૬૪૦ ભારતીય નાગરિકો અને ૪૧ દેશોના ૯૬૦ વિદેશી નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.[2] હવાઇ માર્ગે સ્થળાંતર ૯ એપ્રિલના રોજ અને દરિયાઇ માર્ગે ૧૧ એપ્રિલ ૨૦૧૫ના રોજ પૂર્ણ થયું.[1][4][5]
Quick Facts ઓપરેશન રાહત, Operational scope ...
ઓપરેશન રાહત | |
---|---|
આઇએનએસ સુમિત્રા, એડન ખાતેની કાર્યવાહી દરમિયાન | |
Operational scope | માનવતાવાદી સહાય |
Planned by | ભારતીય સશસ્ત્ર સેનાઓ અને વિદેશ મંત્રાલય |
Commanded by | જનરલ વી. કે. સિંઘ (સેવાનિવૃત્ત) |
Objective | યમન ખાતેથી ભારતીય નાગરિકોનું સ્થળાંતર |
Date | 1 April 2015 (2015-04-01) - 11 April 2015 (2015-04-11)[1] |
Executed by | ભારતીય સશસ્ત્ર સેનાઓ અને એર ઇન્ડિયા |
Outcome | ૫૬૦૦ કરતાં વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર (૪૬૪૦ ભારતીયો અને ૯૬૦ વિદેશી નાગરિકો)[1][2] |
બંધ કરો