કાલિ
શક્તિનો અવતાર, અસુર સંહારક / From Wikipedia, the free encyclopedia
મહાકાળી, કાલિ (સંસ્કૃતઃ काली; બંગાળી: কালী), એ કાલિકા (બંગાળી: কালিকা) તરીકે પણ જાણીતી એક હિન્દુ દેવી છે જેને શાશ્વત ઊર્જા/શક્તિ સાથે સાંકળવામાં આવે છે. કાલિ નામ કાળ પરથી, જેનો અર્થ થાય છે કાળું, કાળ, મૃત્યુ, મૃત્યુના દેવ, શિવ પરથી આવ્યું છે. કાલિ એટલે "જે કાળું છે". કારણ કે શિવને કાળ – શાશ્વત સમય કહેવામાં આવે છે, એટલે કાલિ, તેમની પત્નીનો અર્થ પણ "કાળ" અથવા "મૃત્યુ" (જેમ કે કાળ આવી ગયો છે) થાય છે. તેથી, કાલિને કાળ અને પરિવર્તનની દેવી માનવામાં આવે છે. અલબત્ત, સર્વનાશી દેવી તરીકેના તેમના સૌથી પૂર્વકાલીન અવતારનો હજી પણ થોડોક પ્રભાવ રહ્યો હોવાથી ક્યારેક તેમને કાળા અને હિંસાત્મક રૂપમાં રજૂ કરવામાં આવે છે. વિવિધ શાક્ત હિન્દુ બ્રહ્માંડમીમાંસાઓ, તેમ જ શાક્ત તાંત્રિક માન્યતાઓ, તેમને અંતિમ સત્ય અથવા બ્રહ્મ તરીકે પૂજે છે. તેમને ભવતારિણી (શબ્દશઃ "અખિલ સૃષ્ટિમાંથી તારનાર") તરીકે પણ પૂજવામાં આવે છે. તુલનાત્મક રીતે તાજેતરની ભક્તિમય ચળવળો કાલિને મહદ્ અંશે એક દયાળુ માતૃવત્ દેવી તરીકે જુએ છે.
જેના શરીરની ઉપર તેમને ઘણે ભાગે ઊભેલા દર્શાવવામાં આવે છે, તે ભગવાન શિવનાં પત્ની તરીકે કાલિને રજૂ કરવામાં આવે છે. તેમને અનેક હિંદુ દેવીઓ જેવી કે દુર્ગા, ભદ્રકાલિ, સતી, રુદ્રાણી, પાર્વતી અને ચામુંડા સાથે સાંકળવામાં આવે છે. દસ મહાવિદ્યાઓ, દસ ક્રૂર તાંત્રિક દેવાઓમાં તે સૌથી અગ્રસર છે.[1]