ખાદ્ય પદાર્થની સાચવણી
From Wikipedia, the free encyclopedia
ખાદ્ય પદાર્થની સાચવણી એ ખોરાકને સૂક્ષ્મજંતુઓ દ્વારા બગડતો અટકાવતા કે બગાડની પ્રક્રિયાને ધીમી કરતી પ્રક્રિયા અને વ્યવસ્થાને કહેવાય છે. કેટલીક પદ્ધતિઓમાં, હિતકારક બેક્ટેરિયા, યીસ્ટ કે ફૂગને ખોરાકમાં ખાસ ગુણવત્તા અને સાચવણી માટે ઉમેરવામાં આવે છે (ઉદાહરણ માટે, ચીઝ, વાઇન). ખોરાક તરીકે તેના ગુણને ટકાવી રાખવા કે પોષણ સંબંધી ગુણોનું નિર્માણ કરવું, તેની બનાવટ અને સ્વાદ માટે મહત્વપૂર્ણ છે. આ વાત અલગ અલગ સંસ્કૃતિ માટે અલગ અલગ હોય શકે, એક સંસ્કૃતિ માટે જે અનુરૂપ ખોરાકની યોગ્યતા હોય તે અન્ય સંસ્કૃતિ માટે અયોગ્ય પણ હોઇ શકે.
મોટાભાગની જાળવણી બેક્ટેરિયા, ફૂગ અને અન્ય સૂક્ષ્મજંતુઓની વૃદ્ઘિને અટકાવવા સાથે જોડાયેલી છે, સાથે જ તે ચરબીના ઓક્સિડેશન, જે બગડવા માટે કારણભૂત હોય છે તેને પણ ધીમું પાડે છે. તેમાં પ્રાકૃતિક આયુષ્યને અટકાવવાની અને ખોરાકને બનાવતી વખતે તેના રંગને બદલતો અટકાવો (ઉદાહરણ તરીકે સફરજનને કાપ્યા પછી તેની એન્જેમાટીકથી કથ્થઇ થઇ જવું) પણ સમાવિષ્ટ છે. કેટલીક જાળવણીની પદ્ધતિઓમાં ખોરાકને પ્રક્રિયા બાદ સૂક્ષ્મજંતુઓથી થતી દૂષિતતાને અટકાવવા માટે સજ્જડ બંધ કરવું પણ જરૂરી હોય છે, અન્ય પદ્ધતિઓ જેવી કે સૂકવણીમાં, ખોરાકને કોઇ ખાસ વસ્તુમાં સંગ્રહ કર્યા સિવાય પણ લાંબા સમય સુધી રાખી શકાય છે.
આ પ્રક્રિયાની સામાન્ય પદ્ધતિઓમાં સૂકવણી, સ્પ્રે સૂકવણી, ઠંડું પાડીને સૂકવવું, ઠંડુ પાડવું, વેક્યુમ-પેકિંગ, ડબ્બામાં ભરવું, ચાસણી દ્વારા સાચવણી, ખાંડનું સ્ફટિકરણ, આહાર ઇરેડિયેશન, અને સાચવતા પદાર્થોને ઉમેરવા કે કાર્બન ડાયોક્સાઇડ જેવા મંદ ગેસના ઉપયોગનો સમાવેશ થાય છે. અથાણું, મીઠું ભરવું, ઘુમાડો આપવો, ચાસણીમાં કે દારૂમાં નાખીને જાળવણી કરવી, ખાંડ સ્ફટિકરણ અને કરીઇંગ જેવી અન્ય પદ્ધતિઓ ખોરાકની સાચવણીમાં મદદરૂપ થવાની સાથે, તેમાં સ્વાદ પણ ઉમેરે છે.