ચંદ્રગુપ્ત મૌર્ય
મૌર્ય સમ્રાટ / From Wikipedia, the free encyclopedia
ચંદ્રગુપ્ત મૌર્ય, (શાસન: ઇ.સ. પૂર્વે ૩૨૧-૨૯૭ [3][4][5][6]) મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક અને પ્રથમ સમ્રાટ હતો. નંદ વંશના રાજા ધનાનંદના શાસનનો અંત કરી તેણે સમગ્ર ભારતને એક શાસન હેઠળ લાવી ભારતીય ઉપખંડના વિશાળતમ સામ્રાજ્યની રચના કરી હતી. ઉત્તરમાં ગાંધાર, કાબુલ, બલૂચિસ્તાનથી લઈને પશ્ચિમ (સૌરાષ્ટ્ર, કોંકણ) અને દક્ષિણ ભારતના રાજ્યો (હાલના તમિલનાડુ, કેરળ) સુધી સત્તાનો વ્યાપ વધાર્યો હતો. ચંદ્રગુપ્ત એક કુશળ યોદ્ધો, સેનાનાયક તથા મહાન વિજેતા હોવાની સાથોસાથ યોગ્ય શાસક પણ હતો. તેણે મંત્રી કૌટિલ્ય (ચાણક્ય)ની સહાયથી સુદૃઢ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઉભી કરી. જૈન સંદર્ભ અનુસાર તેણે જીવનના અંતિમ વર્ષોમાં રાજપાટનો ત્યાગ કરીને આચાર્ય ભદ્રબાહુની સાથે નિરાહાર સમાધિસ્થ થઈને પ્રાણ ત્યાગ કર્યો હતો. ગ્રીક રાજદૂત મેગસ્થનીજ ચંદ્રગુપ્તના દરબારમાં ચાર વર્ષ સુધી રહ્યો હતો.
Quick Facts ચંદ્રગુપ્ત મૌર્ય, ૧લો મોર્ય શાસક ...
ચંદ્રગુપ્ત મૌર્ય | |
---|---|
ચંદ્રગુપ્ત મૌર્ય, લક્ષ્મીનારાયણ મંદિર | |
૧લો મોર્ય શાસક | |
શાસન | c. 324 – c. 297 BCE[1] |
પુરોગામી | નંદ સામ્રાજ્યનો ધન નંદ |
અનુગામી | બિંદુસાર |
જન્મ | ઈ.પૂ. ૩૪૦[સંદર્ભ આપો] પિપળીવન (હવે નેપાળની તળેટીમાં)[સંદર્ભ આપો] |
મૃત્યુ | ઈ.પૂ. ૨૯૭ (ઉંમર ૪૧-૪૨)[1] શ્રવણબેલગોલા, કર્ણાટક[2] |
જીવનસાથી | દુર્ધરા અને સેક્લુયલ પ્રથમ નિક્ટરની પુત્રી હેલન |
વંશજ | બિંદુસાર |
ગ્રીક | સેન્ડ્રોકોટ્ટસ |
વંશ | મૌર્ય વંશ |
ધર્મ | જૈન ધર્મ |
બંધ કરો