દુષ્કાળ
From Wikipedia, the free encyclopedia
દુષ્કાળ એટલે કોઈ પણ સ્ત્રોતનો અભાવ. દુષ્કાળ એ એક કુદરતી આફત છે.
દુષ્કાળ એ વૈશ્વિક, ભારતીય કે અમુક વિસ્તારો પ્રમાણે હોય શકે. સામાન્ય રીતે દુષ્કાળ એટલે વરસાદનો અભાવ. માનવીય જીવન અને એમાય ખાસ કરીને કૃષક લોકો માટે સમયે સમયે વરસાદ પડવો અતિ આવશ્યક છે. જો સમયે વરસાદ ન પડે તો સામાજિક, આર્થિક, ઔદ્યોગિક એમ અનેક ક્ષેત્રોમાં ભારે ઉથલપાથલ થતી હોય છે. અને તેમાંથી ટુંકા ગાળાના અને લાંબા ગાળાના અનેક પ્રકારના પ્રશ્નો પેદા થતાં હોય છે. ભારત માં અને વિશ્વમાં દુષ્કાળની ઘટનાઓ બનતી જ હોય છે. જે અંગેની માહિતી, ઉલ્લેખ આપણને ઈ.સ. પૂર્વે ૨૦૦ની આસપાસના લખાયેલા પૌરાણિક કથા સાહિત્ય દ્વારા મળે છે.[1] જો કે આ નોંધ સંપૂર્ણ સત્ય નથી.
ભારતમાં વિદેશી અંગ્રેજ સત્તા પહેલાનો આપણને વિશ્વસનીય લેખિત ઈતિહાસ મળતો નથી. પૌરાણિક કથાઓ પ્રમાણે ઈતિહાસ મળે છે.