બુદ્ધ ઉદ્યાન, રાવંગલા
From Wikipedia, the free encyclopedia
બુદ્ધ ઉદ્યાન, રાવંગલા રાબોંગ (રાવંગલા), દક્ષિણ સિક્કિમ જિલ્લો, સિક્કિમ, ભારત ખાતે આવેલું છે અને તથાગતા ત્સાલ તરીકે પણ ઓળખાય છે. તેનું નિર્માણકાર્ય વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૩ સુધી થયું હતું. ૨૩ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલા આ ઉદ્યાનનું મુખ્ય આકર્ષણ ૧૩૦ ફૂટ ઊંચી બુદ્ધ પ્રતિમા છે.[1] રાબોંગ બૌદ્ધ મઠ (ગોમ્પા)ના પરિસરમાં આવેલ આ સ્થળની પસંદગી સદીઓ જૂના ધાર્મિક સ્થળ હોવાને કારણે કરવામાં આવી હતી. આ સ્થળની નજીક આવેલ રાલંગ બૌદ્ધ મઠ પણ તિબેટીયન બોદ્ધ ધર્મના મુખ્ય મઠો પૈકી એક છે.
બુદ્ધ ઉદ્યાન | |
---|---|
સ્થાન | રાવંગલા, સિક્કિમ, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 27.3136°N 88.36367°E / 27.3136; 88.36367 |
બનાવેલ | ૨૦૧૩ |
આ પ્રતિમા ૨૫મી માર્ચ, ૨૦૧૩ના રોજ ૧૪મા દલાઈ લામા દ્વારા પવિત્ર કરવામાં આવી હતી અને આ સ્થળ 'હિમાલયન બૌદ્ધ યાત્રા'નું એક ધામ બન્યું.[2] આ ગૌતમ બુદ્ધની ૨૫૫૦મી જન્મ જયંતી પ્રસંગની યાદગીરીમાં બનાવવામાં આવેલ છે. આ પ્રતિમા સિક્કિમ સરકાર અને રાજ્યના લોકોના સંયુક્ત પ્રયાસો દ્વારા બનાવવામાં આવી હતી તેમ જ સ્થાપના આ જગ્યાએ કરવામાં આવી હતી. બૌદ્ધ સર્કિટના આ ઉદ્યાનનું નિર્માણ રાજ્ય સરકાર પ્રોજેક્ટ હેઠળ આ પ્રદેશમાં યાત્રાધામ અને પ્રવાસનના વિકાસ માટે કરવામાં આવ્યું હતું. આ પરિસરમાં જંગલો દ્વારા ઘેરાયેલું ચો જો તળાવ (Cho Djo lake) પણ આવેલ છે.[3]