શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય
From Wikipedia, the free encyclopedia
શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ એક સુરક્ષિત વન-પ્રદેશ છે, જે સાતપુડા પર્વતશ્રેણીના વિસ્તારના પશ્ચિમ ભાગમાં તેમ જ નર્મદા નદીના દક્ષિણ કાંઠે આવેલ છે અને તે 607.7 km2 (234.6 sq mi) જેટલા મોટા ક્ષેત્રફળમાં ફેલાયેલ છે. તેની સીમાઓ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યો સાથે પણ જોડાયેલી છે. આ અભ્યારણ્યમાં મિશ્ર સૂકા પાનખર વન, નદીનું વન, થોડા ભાગમાં ભેજવાળાં સાગ વન, કૃષિ ક્ષેત્રો અને બે જળાશયોનો સમાવેશ થાય છે.[1][2] તેની સ્થાપના વર્ષ ૧૯૮૨માં કરવામાં આવી હતી.[3]