હિંદુ ધર્મમાં ઉપાસના
From Wikipedia, the free encyclopedia
હિંદુ ધર્મમાં ઉપાસના એ કોઈ એક કે વધુ દેવી દેવતા પ્રત્યેનું ભક્તિકર્મ છે. સામાન્ય રીતે એને ભક્તિ કે ભક્તિમય પ્રેમ કહી શકાય. હિંદુ ધર્મમાં ઉપાસના એ મુખ્ય કે કેન્દ્રસ્થ ક્રિયા કહી શકાય. ઉપાસના એ મૂળ સંસ્કૃત શબ્દ છે જેની વ્યુત્પત્તિ જોઈએ તો, ઉપ=નજીક અને આસ (આસન)=બેસવું, અર્થાત નજીક બેસવું એવો થાય છે. તત્વતઃ અહીં એનો અર્થ ઈશ્વરીય શક્તિ કે ઇષ્ટદેવનું સ્મરણ; ધ્યાન ધરવું એવો થાય છે. અંગ્રેજી કે સંસ્કૃત કુળથી અલગ એવી અન્ય ભાષાઓમાં એનો ચોક્કસ અર્થ સમજાવવો અઘરો પડે છે.
આ લેખ અથવા વિભાગ હજુ નિર્માણ હેઠળ છે, અથવા તેમાં મોટા ફેરફારો અથવા વિસ્તૃતિ થઇ રહી છે. તેમાં યોગ્ય ફેરફારો કરીને મદદ કરવા માટે તમને નિમંત્રણ છે. જો આ લેખ અથવા વિભાગ માં કેટલાંક દિવસ માટે સંપાદન ન થાય તો, આ ઢાંચો હટાવવો. જો તમે આ ઢાંચો મૂક્યો હોય અને લેખ પર સક્રિય રીતે ફેરફારો કરતા હોવ તો આ ઢાંચાને {{in use}} ઢાંચા વડે બદલવા વિનંતી છે.
આ લેખ પર InternetArchiveBot (ચર્ચા | યોગદાનો) દ્વારા છેલ્લે સંપાદન થયું હતું. (તાજું કરો) |
ઉપાસનાને વધુ ઊંડાણથી સમજીએ તો, ઉપાસના એટલે આરાધના સેવા ભક્તિ આદિથી કરવામાં આવતી ધ્યાન વગેરે પ્રક્રિયા ઈશ્વર સાથેનો સંબંધ. ઈશ્વરની મરજીને અધીન થવાની મનની વૃત્તિ.