ભારતના રાષ્ટ્રપતિ
From Wikipedia, the free encyclopedia
ભારતના રાષ્ટ્રપતિ ભારતીય ગણતંત્રના વડા અને ભારતીય સૈન્ય દળના કમાન્ડર-ઇન-ચીફ છે. તેઓ તમામ પ્રકારની કટોકટી લાદે છે અને દૂર કરે છે, યુદ્ધ / શાંતિની ઘોષણા કરે છે. તેઓ દેશના પ્રથમ નાગરિક છે. ભારતના રાષ્ટ્રપતિ ભારતીય નાગરિક હોવા જરૂરી છે.
ભારતીય ગણતંત્રના રાષ્ટ્રપતિ | |
---|---|
ભારતનું રાષ્ટ્રચિહ્ન | |
માનદ્ | માનનીય (ભારત અને કોમનવેલ્થ દેશોમાં) હીઝ એક્સલન્સી (ભારતની બહાર)[1] મિ. પ્રેસિડેન્ટ (અનધિકૃત) |
સ્થિતિ | રાષ્ટ્રના વડા |
નિવાસસ્થાન | રાષ્ટ્રપતિ ભવન |
નિમણૂક | ઇલેક્ટ્રોલ કોલેજ ઓફ ઇન્ડિયા |
પદ અવધિ | પ વર્ષ લંબાવી શકાય છે |
Precursor | ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા |
પ્રારંભિક પદધારક | રાજેન્દ્ર પ્રસાદ (૧૯૫૦–૧૯૬૨) |
સ્થાપના | ભારતનું બંધારણ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ |
Deputy | ભારતના ઉપરાષ્ટ્રપતિ |
વાર્ષિક આવક | ₹૫,૦૦,૦૦૦ (US$૬,૬૦૦) (દર મહિને)[2] |
વેબસાઇટ | presidentofindia |
સૈદ્ધાંતિક રીતે, રાષ્ટ્રપતિ પાસે પૂરતી શક્તિ છે. પરંતુ કેટલાક અપવાદો સિવાય, રાષ્ટ્રપતિના કાર્યાલયમાં આપવામાં આવેલી મોટાભાગની સત્તાઓ વાસ્તવમાં વડા પ્રધાનની આગેવાની હેઠળની મંત્રી પરિષદ દ્વારા ઉપયોગમાં લેવાય છે. ભારતના રાષ્ટ્રપતિ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે, જેને રાયસીના હિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિ કેટલી વખત પદ સંભાળી શકે તેની કોઈ મર્યાદા નથી. અત્યાર સુધી માત્ર પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ પદ પર બે વખત પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે.
પ્રતિભા પાટીલ ભારતના ૧૨મા રાષ્ટ્રપતિ હતા અને આ પદ સંભાળનાર પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. તેમણે ૨૫ જુલાઈ ૨૦૦૭ના રોજ પદ અને ગોપનીયતા ના શપથ લીધા હતા. હાલમાં ભારતના રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂ છે.