અશોક ચક્ર
From Wikipedia, the free encyclopedia
સમ્રાટ અશોક દ્વારા બનાવડાવવામાં આવેલા મોટા ભાગના શિલાલેખો પર પ્રાયઃ એક ચક્ર (પૈડા)નું ચિત્ર કોતરાયેલું જોવા મળે છે, જેને અશોક ચક્ર કહેવામાં આવે છે. આ ચક્ર ધર્મચક્રનું પ્રતીક છે. ઉદાહરણ માટે સારનાથ સ્થિત સિંહાકૃતિ (લાયન કેપિટલ) અને અશોક સ્તંભ પર અશોક ચક્ર વિદ્યમાન છે. ભારત દેશના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રને કેન્દ્રમાં સ્થાન આપવામાં આવેલું છે.
અશોક ચક્રમાં કુલ ૨૪ (ચોવીસ) આરા (સ્પોક્સ્) આવેલા છે, જે પ્રત્યેક દિવસના ચોવીસ કલાકોનું પ્રતીક છે.