શંકર દયાલ શર્મા
From Wikipedia, the free encyclopedia
શંકર દયાલ શર્મા (૧૯ ઓગસ્ટ ૧૯૧૮ – ૨૬ ડિસેમ્બર ૧૯૯૯) ૧૯૯૨થી ૧૯૯૭ દરમિયાન ભારતના નવમા રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ પદ પહેલાં તેઓ ભારતના આઠમા ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા. તેઓ ભોપાલ રાજ્યના (૧૯૪૯–૧૯૫૬) મુખ્યમંત્રી પદે (૧૯૫૨–૧૯૫૬) રહ્યા. ઉપરાંત, ૧૯૫૬થી ૧૯૬૭ દરમિયાન શિક્ષણ, કાયદો, લોકનિર્માણ, ઉદ્યોગ અને વાણિજ્ય, રાષ્ટ્રીય સંસાધન તેમજ મહેસૂલ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા કેબીનેટ મંત્રી તરીકે રહ્યા. તેઓ ૧૯૭૨થી ૧૯૭૪ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષપદે તથા ૧૯૭૪થી ૧૯૭૭ સુધી તત્કાલીન સરકારમાં સંચાર મંત્રી તરીકે કાર્યરત રહ્યા.
Quick Facts શંકર દયાલ શર્માशंकर दयाल शर्मा, ૯મા ભારતના રાષ્ટ્રપતિ ...
શંકર દયાલ શર્મા शंकर दयाल शर्मा | |
---|---|
૯મા ભારતના રાષ્ટ્રપતિ | |
પદ પર ૨૫ જુલાઈ ૧૯૯૨ – ૨૫ જુલાઈ ૧૯૯૭ | |
પ્રધાન મંત્રી | પી. વી. નરસિંહ રાવ અટલ બિહારી વાજપેયી એચ. ડી. દેવગૌડા ઇન્દ્ર કુમાર ગુજરાલ |
ઉપ રાષ્ટ્રપતિ | કે.આર.નારાયણન |
પુરોગામી | આર. વેંકટરમન |
અનુગામી | કે.આર.નારાયણન |
ભારતના ઉપરાષ્ટ્રપતિ | |
પદ પર ૩ સપ્ટેમ્બર ૧૯૮૭ – ૨૫ જુલાઈ ૧૯૯૨ | |
રાષ્ટ્રપતિ | આર. વેંકટરમન |
પુરોગામી | આર. વેંકટરમન |
અનુગામી | કે.આર.નારાયણન |
મહારાષ્ટ્રના રાજ્યપાલ | |
પદ પર ૩ એપ્રિલ ૧૯૮૬ – ૨ સપ્ટેમ્બર ૧૯૮૭ | |
મુખ્ય મંત્રી | શંકરરાવ ચવ્હાણ |
પુરોગામી | કોના પ્રભાકર રાવ |
અનુગામી | કે. બ્રહ્માનંદ રેડ્ડી |
પંજાબના રાજ્યપાલ ચંદીગઢના વહીવટકર્તા | |
પદ પર ૨૬ નવેમ્બર ૧૯૮૫ – ૨ એપ્રિલ ૧૯૮૬ | |
મુખ્ય મંત્રી | સુરજીત સિંઘ બરનાલા |
પુરોગામી | હોકીશે સેમા |
અનુગામી | સિદ્ધાર્થ શંકર રે |
આંધ્ર પ્રદેશના રાજ્યપાલ | |
પદ પર ૨૯ ઓગસ્ટ ૧૯૮૪ – ૨૬ નવેમ્બર ૧૯૮૫ | |
મુખ્ય મંત્રી | એન. ભાસ્કર રાવ એન. ટી. રામારાવ |
પુરોગામી | ઠાકુર રામલાલ |
અનુગામી | કુમુદબેન મણીશંકર જોશી |
અંગત વિગતો | |
જન્મ | (1918-08-19)19 August 1918 ભોપાલ દેશી રજવાડું (હાલ ભારત) |
મૃત્યુ | 26 December 1999(1999-12-26) (ઉંમર 81) નવી દિલ્હી, ભારત |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | વિમલા શર્મા |
સંતાનો | બે પુત્ર એક પુત્રી |
માતૃ શિક્ષણસંસ્થા | સેન્ટ જ્હોન કોલેજ, આગ્રા (અલ્હાબાદ વિશ્વવિદ્યાલય) આગ્રા કોલેજ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢ લખનઉ વિશ્વવિદ્યાલય ફિત્ઝ વિલિયમ કોલેજ, કેમ્બ્રીજ હાર્વર્ડ યુનિવર્સિટી |
સહી |
બંધ કરો
આંતરરાષ્ટ્રીય બાર એસોશિયેશને શર્માને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાયદાના વ્યવસાયમાં ઉત્કૃષ્ઠ યોગદાન બદલ તથા કાયદાના શાસન પ્રત્યે પ્રતિબદ્ધતા બદલ લિવિંગ લિજેન્ડ ઓફ લો ઍવોર્ડ ઓફ રેકગ્નિશનથી સન્માનિત કર્યા હતા.[1]