આગા ખાન મહેલ
From Wikipedia, the free encyclopedia
આગા ખાન મહેલ ભારતના પુનામાં સુલતાન મુહમ્મદ શાહ આગા ખાન ત્રીજા દ્વારા બંધાવવામાં આવેલ એક મહેલ છે. આ મહેલ નિઝારી ઇસ્માઇલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા દ્વારા દાનાર્થે બંધવવામાં આવ્યો હતો. તેઓ પુનાની આસપાસના દુષ્કાળ પ્રભાવિત અને પીડિત ગરીબોની મદદ કરવા ઇચ્છતા હતા.[1]
આગાખાન મહેલ | |
---|---|
આગાખાન મહેલ | |
સ્થાન | પુના, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 18.5523°N 73.9015°E / 18.5523; 73.9015 |
વિસ્તાર | 19 acres (77,000 m2) |
બંધાયેલ | ૧૮૯૨ |
સંચાલન સમિતિ | ગાંધી નેશનલ મેમોરિયલ સોસાયટી |
પ્રકાર | ઐતિહાસીક રીતે મહત્તવ પૂર્ણ |
યાદીમાં ઉમેરેલ | ૨૦૦૩ |
સ્મારક જાહેર | ભારતીય પુરાતત્વ સંસ્થા |
આગા ખાન મહેલ એક ભવ્ય ઇમારત છે. આ મહેલ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે કારણ કે અહીં મહાત્મા ગાંધી, તેમની પત્ની કસ્તુરબા ગાંધી, તેમના સચિવ મહાદેવભાઈ દેસાઈ અને સરોજિની નાયડુની જેલ તરીકે વપરાયેલો હતો. કસ્તુરબા ગાંધી અને મહાદેવ દેસાઈનું અવસાન પણ અહીં જ થયું હતું.[2] ઈ. સ. ૨૦૦૩ માં, ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) સંસ્થાએ આ સ્થળને મહત્વના રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યું હતું. [3] આગા ખાન પેલેસ તેના ખાસ સ્થાપત્ય, લીલોતરી અને ફોટોગ્રાફી માટે યોગ્ય લાઇટિંગ ધરાવતુઓ હોવાથી છબીકારો (ફોટા પાડનારા) માટે મુખ્ય આકર્ષણ હતું, પરંતુ ફોટોગ્રાફીના વ્યવસાયિકરણથી મુલાકાતીઓ અને પ્રવાસીઓનો ઉપદ્રવ વધતો ગયો, તેથી વ્યવાસ્થપન કરનારાએ તેના પરિસરમાં કોઈપણ પ્રકારની ફોટોગ્રાફીની મંજૂરી આપવાનું બંધ કરી દીધું. આગા ખાન મહેલના વિસ્તારમાં મોબાઇલ ફોટોગ્રાફી પણ પ્રતિબંધિત છે.